By vijayshah | May 16, 2010 - 11:01 pm
Posted in Category: નાટક

(પડદો ખુલે છે અને બધી મુર્તિઓ સ્થિર ઉભી હોય છે)

ચૌકીદારઃ      હાશ…! માંડ exhibition પૂરૂ થયૂ.  આજનો દિવસ તો બહુ લાંબો હતો. કોણ જાણે આટલા બધા લોકો આ પત્થરની મુર્તિઓ જોવા શું આવતા હશે? પાછા ફોટાઓ પાડે..! અરે આટ્લા  ફોટાઓ  તો મારા લગ્નમા પણ નહોતા લીધા. કંઇ નહીં તમે તો નેતા છો ને? પણ આજના સમયમાં આટલા ફોટા પણ આજના નેતાઓને ઓછા પડે છે.!!

(વલ્લભભાઇ પટેલની મુર્તિ ને સાફ કરતા કહે છે)

તમે થાકતા નથી? આ.. આખો દિવસ આમ ઊભા ઊભા !  બધાને pose આપી આપી ને..!

હા પણ તમે શાના થાકો, તમે તો લોખંડી પુરૂષ..!  ”સરદાર વલ્લભ ભાઇ પટેલ”..!

(મોરારજી દેસાઇ તરફ જાય છે અને ગણગણે છે)

ઓ મોરારજી ભૈ, ઓ.. મોરારજી ભૈ, આ મુમ્બઇ મા આવી ને અમને ભારે પડી ગઇ..!

સરદારઃ બકવાસ બંધ કર..!

ચૌકીદારઃ (ચમકીને) કોણ બોલ્યુ? કોણ છે ત્યાં? (પછી ભોઠો પડીને) આ રાજકીય નેતાઓની વચ્ચે રહીન મારૂ યે મગજ ચસ્કી ગયુ છે. ખોટા ખોટા આભાસ થાય છે.

(પછી ગાંધીજીની મુર્તિ તરફ જાય છે)

બાપુ તમારા ઉપર તો ખરેખર દયા આવે છે. ખબર નહી તમને શા માટે આટલો વખત આમ ઉભા રાખે છે. જરા વાર બેસી જાઓ, આરામ કરો..!

મોરારજીઃ  હા બાપુ બેસી જાઓ, બેસી જાઓ હવે પ્રદર્શન બંધ થઇ ગયુ, કોઇ નહી જુએ.

(મોરારજી ભાઇ ધીમે પગલે આગળ ચાલે છે)

ચૌકીદારઃ (આંખ ચોળે છે, ગાલ પર તમાચો મારે છે અને હાથ પર ચિમકી ભરે છે. અને જોરથી ચીસ પાડે છે.) ના ના હૂં તો જાગુ છું. ઊંઘમા નથી..!

સરદારઃ ઝવેરચંદભાઇ, આવો આવો અંહી, સાંજ પડી, ચાલો આપણે આપણી મહેફીલ જમાવીયે.

ચૌકીદારઃ અરે.. અરે.. અચ્છા તો તમે બધા રોજ સાંજે મહેફીલ જમાવો છો?

સરદારઃ તારે પણ જોડાવુ હોય તો જોડાઇ જા. પણ ખબરદાર જો વાત બહાર ગઇ તો..! ખબર છે ને.. મારૂ નામ સરદાર છે?

ચૌકીદારઃ જી… જી.. જી જી.

ગાંધીજીઃ અરે ઓ નર્મદ ..વીર નર્મદ… આમ ઓરા આવો, ત્યાં દૂર કયાં ઊભા? આવો બધા સાથે આવો..

નર્મદઃ જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત ! (આગળ આવે છે)

દીપે અરુણ પ્રભાત જય જય ગરવી ગુજરાત

ઓહો મેં તો સાંભળ્યુ છે કે આપણા ગરવી ગુજરાતની સ્વર્ણ જયંતી ઉજવાઇ રહી છે ને બહુ સરસ બહુ સરસ

ઝવેરચંદઃ નર્મદ, તમારી સુરતની ઘારી અને વાણીની તો શી વાત? ઘારી ખવડાવશો તો સૌને ગમશે પણ વાણી..

નર્મદઃ સુરતની  વાણીની વાત પછી. સુરત એતો સોનાની મૂરતની વાત કરો.મે સાંભળ્યુ છે કે તે તો ભારતનું સૌથી સમૃધ્ધ શહેર ગણાય છે .. વાહ! વાહ! મારું સુરત ફરી પાછુ સોનાનું થઇ ગયું.

ગાંધીજીઃ કેમ છો ઝવેરચંદ! તમે તો રાષ્ટ્રીય શાયર

ઝવેરચંદઃ નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે

           ખબર છે એટલી કે માતની હાકલ પડી છે

રખેવાળઃ વાહ! મેઘાણી સાહેબ, વાહ, વાહ.

ઝવેરચંદઃ આજ કાલ ગુજરાતનાં હાલ શું છે?  

ચૌકીદારઃ  અરે મેઘાણી સાહેબ, આ ગુજરાતની પ્રગતી તો અવકાશનાં સ્પુટનીક ની ઝડપનેય આંબી ગઇ. પચાસ વરસ પહેલાનુ ગુજરાત જે ગરીબી અને દુઃખ મા હતુ તે આજે અવકાશ મા ઉડી ને ચાંદ સાથે વાર્તાલાપ કરતુ થઇ ગયુ છે.

કસ્તૂરબાઃ ચાંદ સાથે વાર્તાલાપ? એ કેવી રીતે?

ચૌકીદારઃ કેવી રીતે?  પૂછો તમારાજ જોડીદાર ને ! આ.. ઉભા,  “વિક્રમ સારાભાઇ”

વિક્રમઃ મેં? મેં શું કર્યુ?

ચૌકીદારઃ તમે શું કર્યુ? અરે તમે શું નથી કર્યુ…! આ Space Center ની સ્થાપના કરીને તમે તો ગુજરાત ને America અને Russia ની હરોળમા મુકી દિધુ.

ગાંધીજીઃ વાહ ! આપણું ગુજરાત આટલુ આગળ વધી ગયું? અરે, ઇન્દુલાલ યાજ્ઞિક ક્યાં ગયા? મહેફીલમાં નથી આવ્યા લાગતા?

વિક્રમઃ હા, ઇન્દુલાલ યાજ્ઞિક કે જેમણે મહાગુજરાતની વાત કરી અને આગેવાની લૈ મહાગુજરાત્નું સ્વપ્ન પુરુ કર્યુ.. કેમ મોરરજીભાઇ તમે કેમ ના બોલ્યા?

કસ્તૂરબાઃ અને તમે કલ્પના પણ નહી કરી શકો એટ્લુ Modern પણ થઈ ગયુ છે. પણ શાબાશી આપો આપ્ણા  ગુજરાતીઓ ને કે તેઓ America જેવા દેશ મા જઇ ને વસી ગયા પણ આપણી સંસ્કૄતિ અને માતૃભાષા ને જરાયે નથી ભુલ્યા.

સરદારઃ બાપુ, તમે કહેતા હતા ને કે  ભારત નો વિકાસ કરવો હોય તો પહેલા એના ગામડાનો વિકાસ કરવો જોઇએ?

ગાંધીજીઃ હા.સરદાર, ગામડાનો વિકાસ એટલે દેશનો વિકાસ

ચૌકીદારઃ આપ્ણા Chief Minister એ તમારી સૂચનાનુ બરાબર પાલન કર્યુ છે.

કસ્તૂરબાઃ Who is the Chief Minister of Gujart?

ચૌકીદારઃ What did you say?

કસ્તૂરબાઃ I said who is the chief minister of Gujarat?

(બધા અચરજથી કસ્તૂરબાને અંગ્રેજી બોલતા જુએ છે.)

ગાંધીજીઃ બા..  અંગ્રેજીમાં..?

કસ્તૂરબાઃ બાપુ…  આ ગુજરાતીઓ આટલા આગળ વધી ગયા છે તો હૂં કેમ પાછળ રહી જાંઉ?

રખેવાળઃ અરે બાપુ, બાની વાત સો ટકા સાચી છે. હવે તો ગુજરાતી કાર્યક્રમ હોય તો સંચાલકો અંગ્રેજીમાં જ બોલે કોઇ ગુજરાતી બોલતુ જ નથી

ઝવેરચંદઃ હવે આ અંગ્રેજી અને ગુજરાતીની વાત છોડો…હા ભૈ, બતાવો બતાવો કોણ છે ઇ ભડવીર જેણે મારી ગુજરાત મા ના ધોળા ધાવણ ની લાજ રાખી છે..!

ચૌકીદારઃ એ ભડવીર છે આપણા મુખ્ય પ્રધાન “શ્રી નરેન્દ્ર મોદી” આજના સરદાર..શું કહો કહો છો સરદાર?

સરદારઃ યાર ! આ લોકો એ મને આમ S.P. Collage ના Compound મા ઉભો રાખી દિધો છે, આ ભૂરાં કબુતરા એ મારો ખભો ખરાબ કરી દિધો છે.

ચૌકીદારઃ સાહેબ, તમે ખભા ની ક્યાં વાત કરો છો..  આ દેશનાં નેતાઓએ ખાદી પહેરી આખો દેશ ખરાબ કરી દીધો છે.હશે કંઈ નહીં બાપુ લો આ ચા પીઓ.

ગાંધીજીઃ અરે આતો ભાઈ મોળી છે. આ શું આપ્યું તેં?

રખેવાળઃ બાપુ, હવે તો ખાંડ ગઈ ને સ્પ્લેંડા આવી ગઈ.

મોરારજીઃ હું તો પહેલેથી જ કહેતો હતો કે ખાંડ છોડો , મગફળીનું તેલ છોડો અને ૧૪ કેરેટ સોનુ પહેરો. પણ કોઈ એ મને માન્યો જ નહીં ઉલટાની ઠાઠડી કાઢી

Vikram : ha  evu to chaalya kare chaalo aapaNe mahefil jamaaviye

કસ્તૂરબાઃ હશે હવે જમવાનુ તૈયાર કરૂ?

સરદારઃ ના.. બા ના…! તમ તમારે બાપુ નેજ જમાડો.

નર્મદઃ કાં ? એવુ તો વળી શું ખાય છે શું વાંધો છે?

વીક્રમઃ મને ખબર છે એમને શું વાંધો છે. બાપુના ભાણા મા હોય  ખજુર, ફળ  અને બકરી નુ દૂધ.!

અને મોરારજી ભાઇ ના પીણા મા હોય…

સરદારઃ (વચ્ચે કાપીને) સાબરમતી નુ પાણી…!  યાર કઇંક જોરદાર ખાવુ છે.

ચૌકીદારઃ જોરદાર ખાવુ હોય તો બિહાર જવુ પડે.

ઝવેરચંદઃ કેમ? ત્યાંના લોકો શું ખાય છે?

ચૌકીદારઃ બિહારના લોકોની તો ખબર નથી, પણ ત્યાંના લાલુપ્રસાદ યાદવ તો બહુ લિજ્જતથી ખાય છે..

નર્મદઃ શું ?

ચૌકીદારઃ પશુઓનો ચારો…!

નર્મદઃ  આ તમને બધાને ખાવા સિવાય કંઇ સુઝતુ નથી ઝવેરચંદભાઇ, આજે તો એવુ મન થાય છે કે એક કવિતા હું લખુ અને તમે એને તમારા ગઢવી રાગમા પડ્છંદ અવાજે ગાઓ કે જલસો થઈ જાય.  ખબર નહી આજકાલ સારા ગીતૉ લખાય છે કે નહી?  કલાપીને સાંભળવાનુ મન થાય છે.

ઝવેરચંદઃ હા ભાઇ કલાપી તો અમારા ગામના રાજા અને કવિ.

માશુકાના ગાલની લાલી મહી યાદી ભરી છે આપની

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો, ત્યાંત્યાં નિશાની આપની

ચૌકીદારઃ સાહેબ, ભુલી જાઓ.. ! ભુલી જાઓ..!  કલાપી..  હં…!  આજકાલ તો Bollywood વાળાઓની બોલબાલા છે…  ऐ क्या बोली तु ! आती है खंडाला સંભળાવશે, 

ગાંધીજીઃ બંધ કર …!

ચૌકીદારઃ સાહેબ, હું તો બંધ કરીશ, પણ આ બોલીવુડ વાળા ને કોણ બંધ કરાવશે?

(પોઝ) ઝવેરચંદ તમારુ પેલુ ગીત સંભળાવો રક્ત ટપકતી..

ઝવેરચંદઃ રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણ થી આવે

               કેશરવર્ણી સમર સેવિકા કોમળ સેજ બીછાવે

સરદારઃ વાહ, ઝવેરચંદ વાહ!

ગાંધીજીઃ અરે હા..! આજકાલ સામાજીક ફીલમ બને છે કે નહી? પેલા કલાકારો નરગીશ, મધુબાલા…?

ચૌકીદારઃ હા હા…!  બને છે ને..! અને કલાકારોની તો વાતજ ના પુછ્તા…   કળાની તો વાતજ ના પુછો, તમારી આંખો પરદા ઉપરથી હટેજ નહી ને !

વીક્રમઃ એ વળી કઈ હીરોઈન?

ચૌકીદારઃ સૌથી શરમાળ અને સૌથી લજામણી કલાકાર…  આપ્ણી…   “ મલીકા શેરાવત..”

સરદારઃ અરે એ તો કહે, સાયગલ અને પંકજ મલીક જેવુ કોઇ ગાય છે કે ?

મોરારજીઃ આહા સાયગલને સાંભળીયેતો એમજ લાગે કે તે ગળામાંથી નહીં દિલથી ગાય છે પેલુ ગીત છે ને जब दिलही तुट गया अब जीके क्या करेंगे

વીક્રમઃ હા..  મે સાંભળ્યુ છે કે આજકાલ એક ગાયક એવુજ ગાય છે કે જાણે ગળા માંથી નહી પણ….

ચૌકીદારઃ (વચ્ચે કાપીને) ..નાક માંથી ગાય છે.   આપણો ગુજરાતી કલાકાર…  હિમેશ રેશમીયા..

ઝવેરચંદઃ  અચ્છા પેલો ટોપી પહેરીને ગાય છે તે?

કસ્તૂરબાઃ કઇ? ગાંધી ટોપી?

મોરારજીઃ આ મેં જે ટોપી પહેરી છે તેનું નામ પડી ગયુ ગાંધી ટોપી. બાકી બાપુ તો ટોપી પહેરતાયે નહોંતાને કોઈને ટોપી પહેરાવતાયે નહોંતા

વિક્રમઃ અરે એમ તો ગાંધીજીનાં નામે કેટલાયે તરી ગયા ને કેટલાય તેમના નામે ચરી ગયા.  

ઝવેરચંદઃ એટલે તમે શું એમ કહેવા માંગો છો ? આ બધા જે ખુરશી પર બેઠા છે તે ગાંધીજીનાં નામે ચરી ગયા છે?

ચોકીદારઃ ચોક્કસ વળી-

શેખાદમ આબુવાલા કહેતા

નો’તુ બનવું તો યે શિરસ્તો બની ગયો

કિંમતી હતો તો યે સસ્તો બની ગયો

ગાંધી તને ખબર છે તારુ થયુ છે શું?

ખુરસી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

કસ્તૂરબાઃ વીર નર્મદ તમે કોઇ શૌર્ય ગીત સંભળાવો

બધા સાથે કહે હા, હા, સંભળાવો

મોરારજીઃ શૌર્યગીતની વાત તો ખરી પણ એમના શૌર્ય કાર્યની વાત. ખબર છે? તેમના સમય્માં સમાજ સુધારાની ઝુંબેશ તેમણે શરુ કરી અને પોતે પણ વિધવા સાથે લગ્ન કર્યા હતા.નર્મદ તમારું પેલું ગીત ડગલુ

ડગલુ ભર્યુ કે ના હઠવુ ના હઠવુ.વેણ કર્યુ કે ના લટવુ ના લટવુ

વિક્રમઃ વાહ, વાહ તમારી કવિતા સાંભળીને તો થાય છેકે ગુજરાતમાં પુનઃજન્મ લઉં.

સરદારઃ તો તમે પણ કંઈ સંભળાવોને..તમને પદ્મભુષણ ઇલ્કાબ મળ્યો હતોને તમારા કામ માટે?

વિક્રમઃ હું શું બોલુ? હું રહ્યો વૈજ્ઞાનીક અને વિજ્ઞાનતો એક સાધન અને મારું સાધ્ય માનવ કલ્યાણ જે એક આધ્યાત્મ્નો એક યજ્ઞ. મને ગર્વ છે કે આ બધી સિધ્ધિઓ મને ગુજરાતી તરીકે મળી.

કસ્તૂરબાઃ ગર્વની વાત? મારે પણ કરવી છે. આપણા સરદાર લોખંડી પુરુષ જેને ભારત રત્ન નો શ્રેષ્ઠ ઇલ્કાબથી નવાજ્યા છે અને સાચુ પુછો તો બાપુની પ્રગતિમાં તેમનો ઘણો મોટો ફાળો છે.

મોરારજીઃ સરદાર  તમારે શું કહેવું છે?

સરદારઃ મારે શું કહેવાનું હોય? મારે તો આ મારા ગુજરાતીઓને તેજસ્વી અને દક્ષ જોવા છે ગુજરાતી ભાઇઓને કહીશ કે તમારુ કાળજુ સિંહ્નું રાખજો અને સ્વમાન ને ખાતર જરુર પડે તો બલિદાન આપવાની પણ તૈયારી રાખજો

બાપુ આપને શું કહેવું છે?

ગાંધીજીઃ મારે તો શું કહેવાનું? લોકો જીવનમાં સત્ય અને સંહિષ્ણુતા અપનાવે એટલે જ મને આનંદ. જીવનમાં અસત્યને માટે અવકાશ હોઇ શકે જ નહીં. કારણ કે સત્ય સિવાય બીજો કોઇ ધર્મ નથી એવી મારી અડગ શ્રધ્ધા છે. સત્યનાં માર્ગે ચાલનાર કદાપી જીવનમાં દુઃખી નથી બનવાનો.

બાકી લોકો મને સાવ ભુલી નથી ગયા આપણને . દુનિયામાં ઘણી જગ્યાએ મારા પુતળાઓ મુકાય છે. અરે અહીં હ્યુસ્ટનમાં પણ પુતળુ મુક્યુ છે. મારા આદર્શો ભુલાયા છે. હું હજી નથી ભુલાયો.

બધા બોલે છે

સ્વર્ગથી યે રમ્ય એવું સ્થાન આ ગુજરાત છે;
કોક દિ’ મ્હેમાન થા ભગવાન, આ ગુજરાત છે.

પશ્ચદ્ભુમાંથી જનનીનાં હૈયામાં પોઢંતા પોઢંતા ગીત વાગેછે.. બધા પુતળા પોતાની જગ્યાએ ઉભારહે છે અને વૈશ્નવ જ તેનેરે કહીયેની ધુન સાથે ધીમે ધીમે જવનીકા પતન થાય છે.

By fatehali | October 2, 2008 - 4:41 am
Posted in Category: Uncategorized
By fatehali | August 17, 2008 - 12:09 am
Posted in Category: Uncategorized
By gss | August 25, 2007 - 9:02 pm
Posted in Category: Uncategorized

Welcome to Gujaratisahityasarita.org. This is your first post. Edit or delete it, then start blogging!